સાહિત્ય પર્વના છેલ્લા અને અંતિમ દિવસે ગ્રંથરથ યાત્રા શ્રી પ્રતાપસિંહજી હિન્દી વિદ્યાલયથી પ્રારંભ થઇને તેના છેલ્લા સ્થાન માઉન્ટ કાર્મેલ સ્કૂલ સે ૨૧ માં પહોચી હતી જ્યાં તેનું સ્વાગત પર્વના મુખ્ય આયોજક અને ગાંધીનગર કલ્ચરલ ફોરમ ના શ્રી કૃષ્ણકાંત જહાએ કરી હતી. મુખ્ય મેહમાન શ્રી ભાગ્યેશ જહા, શ્રી વી. એસ. ગઢવી અને શાળાના પ્રિન્સીપાલ સિસ્ટર વિમલા હાજર રહ્યા હતા. અંતિમ દિવસ સમગ્ર પર્વ દરમિયાન યોજાયેલ વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર અર્પણ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મેહમાન એવા શ્રી ભાગ્યેશ જહા અને શ્રી વી. એસ. ગઢવીએ તમામ વિદ્યાર્થી,શિક્ષકગણ અને સાહિત્ય સ્સીકોને પોતાના સાહિત્ય વિષે વિચારો સંભળાવ્યા હતા.
વિવિધ સ્પર્ધાના વિજયી સ્પર્ધકો
Gandhinagar Portal- Circle of Information News, Events, Business, Shops, Employment News, Government Departments